@sachin pithva, surendranagar
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં 9 થી 31 ઓગસ્ટ દરમિયાન “મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે પાટડી ધારાસભ્યશ્રી પી.કે.પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કાર્યક્રમ પાટડી તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ હાથમાં માટી અને માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ ધવલ પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વિપુલભાઈ મેરાણી, અગ્રણી સર્વ દિલીપભાઈ પટેલ, જેસંગભાઈ ચાવડા, સોનાજી ઠાકોર, પાટડી પ્રાંત અધિકારીશ્રી ભાવનાબા ઝાલા, મામલતદારશ્રી પ્રીતિ મોઢવાડિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી દક્ષા શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8