પાર્થો પંડ્યા, પાટણ
જિલ્લામાં આજે વહીવટી તંત્રના નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. જે કાર્યક્રમને સફળ બનાવવા આજે પાટણ શહેરમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પાટણના નાગરિકો રાષ્ટ્રીય ધ્વજ સાથે 2 કિલોમીટર સુધી પદયાત્રા કરી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી. પાટણ ની એમ એન હાઈસ્કૂલ થી નીકળેલી તિરંગા યાત્રા રેલવે સ્ટેશન રાષ્ટ્રગીત નું ગાન કરી પૂર્ણ થઈ હતી.
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાટણમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રા આજે દેશભક્તિના માહોલ વચ્ચે પાટણના મુખ્ય શહેરો પર ફરી હતી. પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પાટણના નાગરિકો સહિત હજારોની જનમેદની તિરંગા યાત્રામાં જોડાઈ હતી. જિલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અરવિંદ વિજયન સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સ્થાનિક લોકો સાથે કલેકટર તેમજ પદાધિકારી ઓએ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા.
પાટણની એમ એન હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો. એમ એન હાઇસ્કુલ થી નીકળેલી આ તિરંગા યાત્રા રંગીલા હનુમાન ત્રણ દરવાજા હિંગળાજ ચાર ચાર સર્કલ થઈ બગવાડા પહોંચી હતી. જે બાદ રેલવે સ્ટેશન પર લહેરાતા તિરંગાની આસપાસ તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઇ તિરંગા યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પુર્ણાહુતિ પ્રસંગે મારી માટી, મારો દેશ… માટીને નમન, વીરોને વંદન દેશ માટે બલિદાન આપનાર વીરોને સમપ્રિત દેશ ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિ ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી.